શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહએ રાખી બાધા:કહ્યું જ્યાં સુધી રામમંદિર નહીં બંધાય ત્યાં સુધી હું મીઠાઇ નહીં ખાવ
જ્યારે રામમંદિર બંધાશે ત્યારે હું અંબાજી જઇને બાધા છોડીશ
અમદાવાદ :લોકસભા ચૂંટણી નજીક આવતા વિવિધ રાજકીય પક્ષોના નેતાઓ વાયદા કરી રહ્યાં છે,તેવામાં ગુજરાતના સિનિયર કેબિનેટમંત્રી ભુપેન્દ્રસિંહે જણાવ્યું કે તેમણે રામ મંદિર બંધાય તે માટે બાધા રાખી છે, જ્યારે મંદિર બંધાશે ત્યાર પછી જ મીઠાઇ ખાઇશ.
બનાસકાંઠાના પાલનપુરમાં ભાજપનું વિજય સંકલ્પ સંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં ભાજપ સરકારના સીનિયર કેબિનેટ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા પણ ઉપસ્થિત રહ્યાં હતા. આ દરમિયાન પત્રકારો સાથે વાતચિતમાં ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું કે જ્યારે 1990-91માં અડવાણીજીએ રામમંદિર માટે રથયાત્રા કાઢી હતી ત્યારે મેં બાધા રાખી હતી કે જ્યાં સુધી રામમંદિર નહીં બંધાય ત્યાં સુધી હું મીઠાઇ નહીં ખાવ, અને જ્યારે રામમંદિર બંધાશે ત્યારે હું અંબાજી જઇને બાધા છોડીશ