ગુજરાત
News of Friday, 26th February 2021

વિરમગામમાં 45 વર્ષીય શખ્સે ત્રણ નીચે પડતું મૂકી જીવનલીલા સંકેલી લેતા અરેરાટી મચી જવા પામી

વિરમગામ: શહેર સહિત તાલુકામાં દિન-પ્રતિદિન આપઘાતના બનાવો વધી રહ્યા છે ત્યારે વિરમગામ શહેરના કસ્ટમની ચાલી ચૌદગલી વિસ્તારમાં રહેતા ૪૭ વર્ષીય પુરુષે ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે.

ઉપરોક્ત બનાવની પોલીસ સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ વિરમગામ રેલવે સ્ટેશન પાસે પાણીની ટાંકી પાસે રેલવે ટ્રેક ઉપર માલગાડી નીચે વિષ્ણુભાઈ હલુજી ઠાકોર (ઉ.વ.-૪૭ રહે. કસ્ટમની ચાલી, ચૌદ ગલીવાળા)એ કોઈ અગમ્ય કારણોસર પડતું મૂકી આપઘાત કરી મોતને વ્હાલું કર્યું હતું. મૃતકની લાશને પી.એમ. અર્થે વિરમગામ મહાત્મા ગાંધી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. આ બનાવની વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ નીલેશકુમાર ચલાવી રહ્યા છે.

(5:06 pm IST)