અમદાવાદના કાગડાપીઠ વિસ્તારમાં પોલીસ સ્ટેશનમાં આરોપીએ આપઘાત કરતા પોલીસે માર માર્યો હોવાની આશંકાથી તપાસ હાથ ધરાઈ
અમદાવાદ: શહેરમાં કાગડાપીઠ પોલીસ સ્ટેશનના લોકઅપમાં આરોપીએ ફાંસો ખાઇને આપઘાત કરતાં ચકચાર મચી જવા પામી છે. પોલીસે માર માર્યાનો પરિવારે આક્ષેપ કરી ને ન્યાય ન મળે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારનો ઇન્કાર કર્યો છે.
કસ્ડોડિયલ ડેથની ઘટનાથી સ્થાનિક લોકોએ પોલીસ સ્ટેશન સામે હોબાળો મચાવીને ચક્કાજામ કર્યો હતો. લોકઅપમાં ફાંસો ખાઇ તરફડીયા મારી મોત થયાની ઘટના સીસીટીવીમાં કેદ છતાં પોલીેસે કેમ બચાવ્યો નહી. કાગડાપીઠ પોલીસે હાલ તો અકસ્માતે મોત નોધી વધુ તપાસ હાથ ધરી છે.
આ કેસની વિગત એવી છે કે રાયપુરમાં બીગ બજાર પાછળ હીરાભાઇની ચાલીમાં રહેતા જીગરભાઇ સોલંકી નામનો યુવક રિક્ષામાં બેસી તકરાર કરતો હોવાના કન્ટ્રોલ મેસેજ આધારે કાગડાપીઠ પોલીસે સોમવારે રાત્રે તેની અટકાયત કરીને લોક અપમાં કેદ કર્યો હતો. જ્યાં રાત્રે 11 વાગ્યા આસપાસ યુવકે લોક અપમાં ચાદર વડે ફાંસો ખાઇને આપઘાત કર્યો હતો. મોડીરાતે મૃતક યુવકનો ભાઇ જમવાનું લઇ આવતાં આ ઘટનાની ખબર પડી હતી.