ગુજરાત
News of Thursday, 26th January 2023

નવ મુખ્‍ય સચિવ તરીકે રાજકુમાર

રાજકોટ, તા. રપ : રાજય સરકારે નવા મુખ્‍ય સચિવ તરીકે હાલના ગૃહ વિભાગના અધિક મુખ્‍ય સચિવ શ્રી રાજકુમારની નિમણૂંકનો હુકમ કર્યો છે. તેઓ તા. ૩૧ સાંજથી પંકજકુમારના અનુગામી બનશે.

શ્રી રાજકુમાર મૂળ ઉત્તરપ્રદેશના વતની છે. તેમનો કાર્યકાળ ૩૧ જાન્‍યુઆરી ર૦રપ સુધીનો રહેશે. તેઓ ૧૯૮૭ ની બેચના આઇ.એ.એસ. કેડરના અધિકારી છે. ભૂતકાળમાં ભાવનગર જિલ્લા કલેકટર સહિત વિવિધ સ્‍થાનો પર ફરજ બજાવી ચૂક્‍યા છે. મો. ૯૯૭૮૪ ૦૬૧૪૧ ગાંધીનગર.

(4:01 pm IST)