News of Wednesday, 25th January 2023
26મીએ અમદાવાદમાં ગીતા મંદિર બસ સ્ટેશન અને કાલુપુર રેલવે સ્ટેશન પર બ્લાસ્ટ કરવાની ધમકી: પોલીસને મળ્યો નનામો પત્ર
શહેર પોલીસ દ્વારા સાવચેતીના ભાગરૂપે તમામ ભીડભાડ વાળી જગ્યા પર પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું
અમદાવાદ : 26 જાન્યુઆરીએ અમદાવાદમાં બ્લાસ્ટ કરવાનો પોલીસને નનામો પત્ર મળ્યો છે. જેના આધારે ક્રાઇમ બ્રાન્ચે તપાસ હાથ ધરી છે.આ પત્રમાં ગીતા મંદિર બસ સ્ટેશન અને કાલુપુર રેલવે સ્ટેશન પર બ્લાસ્ટ કરવાની ધમકી આપવામાં આવી છે. જેના પગલે શહેર પોલીસ દ્વારા સાવચેતીના ભાગરૂપે તમામ ભીડભાડ વાળી જગ્યા પર પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે. તેમજ લોકોને પણ અજાણી વસ્તુ મળે તો તેની સાવચેત રહેવા અને તરત જ પોલીસ કંટ્રોલને જાણ કરવા માટે અપીલ કરવામાં આવી છે.
(7:50 pm IST)