સિદ્ધપુર તાલુકાના કાયણ ગામના અહેમદચાચા નાંદોલિયા સતત 22 વર્ષથી પોતાના ઘરના પરિસરમાં 365 દિવસ વર્ષોથી પોતાના મકાન પર દરરોજ રાષ્ટ્રધ્વજ લહેરાવી સલામી આપે છે
365 દિવસ વર્ષોથી પોતાના મકાન પર દરરોજ રાષ્ટ્રધ્વજ લહેરાવી સલામી આપી દેશાભિમાન અને ભારતીય હોવાના ગૌરવનું જીવતું જાગતું ઉદાહરણ : દેશભક્તિનું જીવતું જાગતું ઉદાહરણ અહેમદચાચા, 365 દિવસ તિરંગો લહેરાવી આપે છે સલામી
પાટણ: આપણે સૌ રાષ્ટ્રીય તહેવારના દિવસે જ આપણા રાષ્ટ્રધ્વજને સલામી આપતા હોઈએ છીએ. પણ પાટણ જીલ્લાના સિદ્ધપુર તાલુકાના કાયણ ગામના અહેમદચાચા નાંદોલિયા સતત 22 વર્ષથી પોતાના ઘરના પરિસરમાં 365 દિવસ વર્ષોથી પોતાના મકાન પર દરરોજ રાષ્ટ્રધ્વજ લહેરાવી સલામી આપી દેશાભિમાન અને ભારતીય હોવાના ગૌરવનું જીવતું જાગતું ઉદાહરણ સિદ્ધપુર તાલુકાના કાયણ ગામે જોવા મળી રહ્યું છે. કાયણ ગામના અહેમદચાચા આજે 90 વર્ષની વયે પણ નિયમિત પોતાના ઘર પરિસરમાં આન બાન અને શાનથી તિરંગો લહેરાવી રહ્યા છે.
જ્યાં સુધી આ સૃષ્ટિ પર જીવન હશે. ત્યાં સુધી દર 15 મી ઓગષ્ટ અને 26મી જાન્યુઆરીએ દરેક ભારતીય જોમ અને જુસ્સા સાથે તિરંગાને સલામી આપશે વર્ષમાં બે વાર અપ્રિતમ દેશભક્તિ દર્શાવવી સહજ છે પણ શું ! 365 દિવસ એટલે કે આખું વર્ષ દેશભક્તિના જોમ જુસ્સા સાથે ત્રિરંગો ફરકાવી સલામી આપવી સહજ છે! દેશમાં કદાચ ખુબજ ઓછા લોકો એવા હશે જે આ રીતે દેશાભિમાન દર્શાવતા હશે.
આજે 26 મી જાન્યુઆરી એટલે કે આપણો પ્રજાસત્તાક દિવસ છે, ને આજે આપણે સૌ એ આપણા તિરંગા રાષ્ટ્રધ્વજને સલામી આપી છે. આપણે સૌ તો કદાચ માત્ર રાષ્ટ્રીય તહેવારોના દિવસે જ તિરંગ ધ્વજને સલામી આપતા હોઈએ છીએ અને તે પણ સરકારી કચેરી કે શાળામાં જઈને પરંતુ પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના કાયણ ગામના એક મુસ્લિમ બિરાદર અહેમદ નાન્દોલીયા વર્ષ 2000 થી લઈને આજદિન સુધી એટલે કે છેલ્લા 22 વર્ષથી પોતાના ખાનગી મકાન પર નિયમિત રીતે રોજે રોજ રાષ્ટ્રધ્વજ ફરકાવી તેને સલામી આપે છે.
રાષ્ટ્રપ્રેમી અહેમદચાચાને વિચાર આવ્યો કે જો અમેરિકા કે બ્રિટન જેવા દેશના લોકો પોતાના મકાન પર પોતાનો રાષ્ટ્રધ્વજ ફરકાવી શકતા હોય તો એક ભારતીય પોતાના ખાનગી મકાન પર આપણો તિરંગો કેમ ન લહેરાવી શકે. અને તે માટે તેમણે આપણી સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરવા નક્કી કર્યું. પણ તેવામાં જ એક વ્યક્તિની અપીલને માન્ય રાખી સુપ્રિમ કોર્ટે ખાનગી મકાન પર નિયમોનું પાલન કરીને રાષ્ટ્રધ્વજ ફરકાવવાની પરવાનગી આપી હતી. જેને લઇ સર્વોચ્ચ અદાલત પરવાનગી અને નીતિ નિયમો સાથે અહેમદ ચાચા નિત્યક્રમ મુજબ ધ્વજ ફરકાવી સલામી આપે છે જે તેમનો દેશ પ્રેમ છે.
કાયણ ગામેં રહેતા 90 વર્ષના અહેમદચાચા નાનદોલીયા તેમની જિંદગીનો છેલ્લો પડાવ વિતાવી રહ્યા છે. 1932 માં જન્મેલા અને અંગ્રેજો સાથેની લડાઈમાં જુલુસમાં અને રેલીઓમાં નાનપણથી જોડાઈને દેશભક્તિનો પરિચય કરાવ્યો હતો. દેશની આજાદી પછી શેરીઓમાં ત્રિરંગો લઈને ઉત્સાહ સાથે ફર્યા હતા.દિલો દિમાગમાં રાષ્ટ ભક્તિ એવીતો ઘર કરી ગઈ હતી. અહેમદચાચા ના મતે તેમના માં નાનપણ થી જ દેશ પ્રેમ હોઈ જયારે આઝાદી બાદ સૈન્ય માં જરૂર પડી ત્યારે ત્રણેક વર્ષ માટે તેઓ ભારતીય ફોજમાં જોડાયેલા હતા. અને તેમાંથી તેમને પ્રેરણા લઈ 2000 ના વર્ષથી પોતાના ઘર ની બહાર નિયમિત એટલેકે 365 દિવસ રાષ્ટ્ર ધ્વજ ફરકાવી સલામી આપે છે.
કાયણ ગામે મકાનની બહાર છેલ્લા 22 વર્ષ થી સતત રાષ્ટ્રધ્વજ લહેરાવી સલામી આપનાર અહેમદ નાન્દોલીયાની દેશ ભક્તિ આજે પણ યથાવત રહેવા પામી છે પોતે વયવૃદ્ધ હોવા છતાં પણ વહેલી સવારે નિત્ય ક્રમ મુજબ રાષ્ટ્ર ધ્વજ ફરકાવીને જ અન્ય કામને મહત્વ આપે છે તો આ પ્રકાર નો દેશ પ્રેમ દરેક ભારતીય નાગરિક માં હોવો જોઈએ તે પણ જરૂરી છે.