ખેડબ્રહ્મામાં પોષી પૂનમના દિવસે માં અંબાનો પ્રાગટ્ય દિવસ તરીકે ઉજવવામાં આવશે
ખેડબ્રહ્મા:ખાતે આવેલ રાજરાજેશ્વરી મા અંબા આદ્યશક્તિનો પોષ સુદ પૂનમ તા. ૨૮-૧-૨૦૨૧નો દિવસ મા અંબાનો પ્રાગટય દિવસ છે. આ દિવસે અંબાના સન્મુખ છપ્પન ભોગ અન્નકૂટ રાખવામાં આવ્યો છે. જેના દર્શન સવારે ૬-૩૦ વાગ્યાથી રહેશે.
ખેડબ્રહ્મામાં આવેલ પૌરાણિક અંબે માનો ઇતિહાસ પણ એટલો જ રસપ્રદ છે. પ્રાચીન કાળમાં દેવતાઓની પ્રાર્થનાથી અંબેમા પ્રગટ થયા હતા અને ભવ્ય અને રમણીય પવિત્ર ભૂમિ બ્રહ્મક્ષેત્રે (ખેડબ્રહ્મા)માં મા બિરાજ્યા હતા. તા. ૨૮-૧-૨૦૨૧ પોષ સુદ પુનમના દિવસે રાજરાજેશ્વરી મા અંબાના સન્મુખ છપ્પન ભોગ અન્નકુટ ભરાશે. મા અંબાનો પ્રાગટય દિવસ હોવાથી ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તો માના ચરણમાં શિશ ઝુકાવવા આવશે તેમ માતાજી મંદિરના ટ્રસ્ટ મેનેજર ઘનશ્યામસિંહ રહેવરે જણાવ્યું છે કે, અન્નકુટના દર્શન સવારે ૬-૩૦ કલાકથી રહેશે જ્યારે મંદિરમાં મા અંબાના રાત્રિના ૯ કલાક સુધી દર્શન કરવા ભાવિક ભક્તોને મળશે આ પોષ સુદ પુનમનું વિશેષ મહત્ત્વ હોવાથી ગુજરાતભરમાંથી ભક્તો દર્શન માટે આવશે પરંતુ આ વર્ષે કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે દરેક ભક્તોએ લાઇનમાં ઉભા રહી સેનેટાઇઝેશન તેમજ માસ્ક પહેરીને દર્શન કરવા મળશે.