ગુજરાત
News of Tuesday, 26th January 2021

રાજપીપળા વિસાવાગા વિસ્તારમાં પાણીના વાલનું સમારકામ કરાતા ઘણા વિસ્તારોમાં પાણીની મોકાણ

સ્ટેટ સમયની કટાઈ ગયેલી પાણીની લાઈનો છાસવારે લીકેજ અને વારંવાર વાલમાં તકલીફ ઊભી થતા મોટા ભાગના વિસ્તારોમાં પાણીની બુમ:દરબાર રોડ લાઈબ્રેરીના બોરની સામેના વિસ્તારોમાં પણ બે સમય પૂરતું પાણી ન મળતા લોકોમાં રોષ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા શહેરના ઘણા વિસ્તારોમાં પીવાના પાણીની વર્ષો જૂની રામાયણ હોવા છતાં કોઈ ખાસ સુધારો થતો નથી ત્યારે ખુદ પાલિકા પ્રમુખ જ્યાં રહે છે તે ભાટવાડા વિસ્તારના રહીશો પણ પાણી બાબતે પોકાર કરી રહ્યા હોય તો અન્ય વિસ્તારની તો વાત જ ક્યાં કરાય..?

  સોમવારે પણ દરબાર રોડ લાઇબ્રેરીના બોરમાંથી મળતું પાણી સાંજે ન આવતા જાણવા મળ્યું કે વિસાવાગા વિસ્તારમાં વાલનું કામ ચાલુ હોવાથી પાણી આવ્યું નથી ત્યારે દરબાર રોડ અને આસપાસના વિસ્તારોથી દુર આવેલા વિસાવાગા માટે અહીંનું પાણી કેમ અટકવાયું..?તેવા સવાલો સ્થાનિકોમાં ઉઠ્યા હોય અમે સ્થળ તપાસ કરતા જાણવા મળ્યું કે વિસાવાગા નીચો વિસ્તાર હોવાથી લાઈબ્રેરી બોર ચાલુ કરાય તો ત્યાં પાણી નીકળે માટે વાલની કામગીરી ન થઈ શકે,જોકે દરબાર રોડ ભાટવાડા, સોનિવાડ સહિતના ઘણા વિસ્તારોમાં લાંબા સમયથી પાણીની ફરિયાદ હોવા છતાં પાલિકા તંત્ર ફક્ત તમાશો જ જોતું હોય તેમ જણાય છે.તાજેતરમાં ઘણા ચીફ ઓફિસરો બદલાઈ ગયા છતાં પાણી જેવી જરૂરી બાબતે કોઈ એ ધ્યાન આપ્યું નથી,જેમાં વાત કરીએ લાઇબ્રેરી બોરની સામે જ આવેલા વિસ્તારોમાં પણ બે ટાઈમ પુરતું પાણી મળતું નથી માટે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

(10:02 am IST)