News of Sunday, 26th January 2020
અમદાવાદના હાટકેશ્વર સર્કલ પાસે શ્મસાન ગૃહ નજીક મહેશ્વરી સોસાયટી પાસે અસામાજિક તત્વોનો આતંક : પાર્ક કરેલી ત્રણ બાઈક સળગાવી
અમદાવાદ : અમદાવાદના હાટકેશ્વર સર્કલ પાસે શ્મસાન ગૃહ નજીક મહેશ્વરી સોસાયટી પાસે અસામાજિક તત્વોનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે. અજાણ્યા અસામાજિક તત્વોએ પાર્ક કરેલી ત્રણ બાઈકોને મોડી રાતે સળગાવી હતી. અને ત્યારબાદ ફરાર થઇ ગયા હતા. ઉલેખ્ખનીય છે કે આ જ વિસ્તારમા નવરાત્રી દરમ્યાન પણ આ તત્વોએ અનેક વાહનોમાં તીક્ષ્ણ હથિયારો સાથે આતંક મચાવી તોડફોળ કરી હતી. ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી છે.
(2:09 pm IST)