News of Saturday, 25th January 2020
આણંદમાં 26 જાન્યુઆરીને લઈને પરેડના રિહર્સલ દરમિયાન વિદ્યાર્થીનું કરૂણમોત
કરમસદ સરસ્વતી હાઈસ્કૂલના ધોરણ-9ના વિદ્યાર્થી સુયોગ સોનીનું મોત
આણંદમાં 26મી જાન્યુઆરીના રિહર્સલ દરમિયાન એક વિદ્યાર્થીનું મોત થયું હોવાની ઘટના સામે આવી છે. કરમસદ સરસ્વતી હાઈસ્કૂલના ધોરણ-9ના વિદ્યાર્થીનું મોત થયું છે. સ્કૂલમાં 26મી જાન્યુઆરીના પરેડને લઈને વિદ્યાર્થીઓ રિહર્સલ કરી રહ્યા હતા
આ દરમિયાન સુયોગ સોની નામના વિદ્યાર્થીને અચાનક ચક્કર આવતા હોસ્પિટલ ખસેડાયો હતો. જો કે વિદ્યાર્થીને સારવાર મળે તે પહેલા જ તેમણે દમ તોડી દીધો હતો. વિદ્યાનગર પોલીસે મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ કરાવવાની કાર્યવાહી હાથ ધરી છે.
(1:00 am IST)