News of Friday, 25th November 2022
આમ આદમી પાર્ટીને મત આપવો તે દારૂડિયાને મત આપવા સમાન થશે: સ્મૃતિ ઈરાનીના પ્રહાર
રાહુલ ગાંધી પોતના મતક્ષેત્રમાં જતા નથી અને ગુજરાતમાં આવે છે. તેમજ પાકિસ્તાનના નારા ભારત જોડો યાત્રામાં લાગ્યા હતા: સ્મૃતિ ઈરાની
અમદાવાદ : ગુજરાત વિધાનસભા ઇલેકશનને લઇને રાજકીય પક્ષો પ્રચારમાં વ્યસ્ત છે. તેવા સમયે કેન્દ્રીય મંત્રી અને ભાજપ નેતા સ્મૃતિ ઈરાનીએ કેજરીવાલ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે કેજરીવાલમાં દમ હોય તો ગુજરાતમાં આવીને બોલી બતાવે
કેજરીવાલ પોતાના વિધાનસભા વિસ્તારમાં એક સ્કૂલ બનાવી શક્યા નથી અને દારૂ પીવા માટેની ટ્રેનિંગ આપવા માટે કલાસ શરૂ કરે છે. તેમજ જો આમ આદમી પાર્ટીને મત આપવો તે દારૂડિયાને મત આપવા સમાન થશે. આ ઉપરાંત રાહુલ ગાંધી પોતના મતક્ષેત્રમાં જતા નથી અને ગુજરાતમાં આવે છે. તેમજ પાકિસ્તાનના નારા ભારત જોડો યાત્રામાં લાગ્યા હતા.
(7:38 pm IST)