ગુજરાત
News of Wednesday, 25th November 2020

સુરત કર્ફયુમાં બસ કામરેજમાં ખાલી થઇ ગઇ : વાહનો ન મળતા લોકો ઠંડીમાં ઠુંઠવાયા

રાજકોટ :સુરત કરફ્યુમાં બસ કામરેજમાં ખાલી થઇ ગઇ હતી. વાહનો નહીં મળતા લોકો ઠંડીમાં ઠુઠવાયા હતા.સુરત ડેપોની બસમાં મુસાફરી કરી રહ્યાં હોવાં છતાં કરફ્યુ સમયે પરિવારોને બાળકો તેમજ માલ-સામાન સાથે કામરેજ હાઇવે ઉપર જ ઉતારી દેવાય રહ્યા છે. તંત્રએ કર્ફ્યુ સમયે કામરેજથી શહેરમાં પ્રવેશ થઇ શકે તેવાં વાહનોની પણ કોઇ વ્યવસ્થા ન કરી હોવાથી મોડી રાત સુધી પરિવારજનોને ઠંડીમાં ઠુંઠવાવાની નોબત આવી છે. રિક્ષા કે કેબની સુવિધાના અભાવે રાત્રે કયાંક મહિલા તો કયાંક વૃદ્ઘ ફસાયેલાં જોવા મળ્યાં હતા.

(2:36 pm IST)