News of Sunday, 25th October 2020
31 ઓક્ટોમ્બરે પીએમ મોદી એકતા પરેડમાં આવવાના હોવાથી કેવડિયા તરફના માર્ગની યુદ્ધના ધોરણે કામગીરી શરૂ
(ભરત શાહ દ્વારા) રાજપીપળા : વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા કેવડીયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આગામી 31 ઓક્ટોમ્બરે રાષ્ટ્રીય એકતા પરેડ માટે પી.એમ મોદી આવનાર હોય વહીવટી તંત્ર હાલ એ તરફ કામે લાગ્યું છે ત્યારે ત્યાં કોઈ બાબતની ક્ષતિ ન જણાય તે માટે ખાસ તકેદારી લેવાઈ રહી હોય હાલ કેવડિયા તરફ જતા રસ્તાનું કામ આજથી શરૂ કરાયું છે.ઘણા સમયથી ચોમાસા દરમિયાન ખખડધજ થઈ ગયેલા માર્ગોની મરામતનું કામ હાલ તંત્ર યુદ્ધના ધોરણે કરી રહેલુ જોવા મળે છે.જોકે પીએમ આ તરફ આવવાના હોવાથી તે તરફના લોકોને ખખડધજ માર્ગો પરથી પસાર થવામાંથી હવે મુક્તિ જરૂર મળશે.
(10:28 pm IST)