એકતા પરેડમાં આવતા પીએમ વિરુદ્ધ ધમકી ભર્યા મેસેજ વાયરલ કરનારા પ્રફુલ વસાવા વિરુદ્ધ ગુનો દાખલ
(ભરત શાહ દ્વારા) રાજપીપળા : આગામી 31 ઓક્ટોમ્બરે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રાષ્ટ્રીય એકતા પરેડ માટે આવનારા પી.એમ.મોદી વિરુદ્ધ ડૉ.પ્રફુલ વસાવા (રહે.વડીયા)એ પોતાના સોસીયલ મીડિયા ફેસબુક તથા વોટ્સએપ ગ્રુપમાં ધમકી ભર્યા અને ઉશ્કેરણીજનક મેસેજ વાયરલ કરતા આ મામલે નર્મદા એલ.સી.બી.ના પી.એસ.આઈ.સી.એમ.ગામીતે તેમના વિરુદ્ધ રાજપીપળા પો.સ્ટે.માં ફરિયાદ આપતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.તપાસ ટાઉન પી.આઈ. એન. એસ.પરમાર કરી રહ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છેકે જ્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ કોઈ પણ કાર્યક્રમ હોય ત્યારે વારંવાર વિરોધ થતો આવ્યો છે અને અગાઉ પણ પોલીસ સાથે ઘર્ષણ થયું હતું તેમ છતાં આ મામલો હજુ શાંત થતો નથી જેમાં હાલમાં પણ જ્યારે પીએમ મોદી 31 ઓક્ટોમ્બરે આવવાના હોય એ મામલે અનેક અડચણો જોવા મળતા પોલીસ આ માટે કડક કાર્યવાહી કરે છે.ત્યારે આવનારા દિવસો માં આ વિરોધ અને ઘર્ષણ ક્યાં જઈ અટકશે એ જોવું રહ્યું.