ગુજરાત
News of Sunday, 25th October 2020

ગુજરાતમાં ગુંડા એકટને રદ કરવા માઈનોરિટી કોર્ડીંનેશન કમિટિ દ્વારા રાષ્ટ્રપતિને પત્ર લખાયો

ગુંડા શબ્દની વ્યાખ્યા અસ્પષ્ટ: પોલીસ જેને ઈચ્છે તેને આ કાયદા હેઠળ ગુંડા તરીકે પકડી શકે

અમદાવાદ : ગુજરાત સરકાર દ્વારા વિધાનસભામાં પસાર કરવામાં આવેલા ગુંડા બિલને રદ કરવા માટે ગુજરાત માઈનોરિટી કોર્ડીંનેશન કમિટિ દ્વારા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને પત્ર ઈમેલ કરવામાં આવ્યું છે. રાષ્ટ્રપતિને ઈમેલ મારફતે મોકલવામાં આવેલ પત્રમાં રજુઆત કરવામાં આવી છે કે

કાયદો ન્યાયના કુદરતી સિધ્ધાંત, પારદર્શિતા, કોઈ પણ નિર્દોષ ને સજા ન આપવાના મૂળભૂત અધિકારનું સ્પષ્ટ ઉલંઘન છે. આ કાયદો આંતરરાષ્ટ્રીય માનવધિકારોની વેશવિક ઘોષણા 1948 કે જેમાં ભારતે પણ હસ્તાક્ષર કરેલ છે તેનું સ્પષ્ટ ઉલ્લંઘન છે.

આ મુદ્દે વાતચીત કરતા ગુજરાત માઈનોરિટી કોરડીનેશન કમિટિના કન્વીનર મુજાહિદ્દ નફિસે જણાવ્યું હતું કે ગુંડા એકટ હેઠળ જે જોગવાઈ લાવવામાં આવી છે એ ખરેખર ભારતીય દંડ સંહિતા 1860, ભારતીય ફોજદારી કાર્યરીતિ અધિનિયમ 1973 અને ભારતીય પુરાવા અધિનિયમ 1872માં સામેલ છે તો આ કાયદાની કોઈ ખાસ જરૂરિયાત રહેતી નથી. આ કાયદા હેઠળ ગુંડાની વ્યાખ્યા સ્પષ્ટ ન હોવાનો તેમણે દાવો કર્યો હતો.

આ કાયદાની કલમ 2 (ખ)માં ગુંડા શબ્દની વ્યાખ્યા આપવામાં આવેલ છે તે એટલી અસ્પષ્ટ છે કે પોલીસ જેને ઈચ્છે તેને આ કાયદા હેઠળ ગુંડા તરીકે પકડી શકે છે પછી ભલે  પોતાના અને પોતાના સમાજના અધિકારોની વતા જ કેમ ન હોય.

કલમ 2 (ગ)માં અસામાજિક પ્રવૃત્તિની વ્યાખ્યા પણ એવી છે કે જે દરેક વ્યક્તિ જે કોઈ પણ પ્રકારના માનવ અધિકાર, પર્યાવરણીય અધિકાર, કામદાર અધિકાર કે અન્ય કોઈપણ અધિકારની વાત કરશે તેને ગુંડા એક્ટ તહત ગુંડો ગણવામાં આવશે.

કલમ 2 (ગ) 8,9 માં પણ કોઈ પણ વ્યક્તિને આસાનીથી આ કાયદા હેઠસ ગુંડા તરીકે ગણી શકાશે તેમજ કલમ 2 (ગ) 10 માં જણાવ્યા મુજબ કારખાનાના માલિક કે અધિકારીઓ માટે કામદારો ને ગુંડા સાબિત કરવું ખુબજ આસાન થઈ જશે

કલમ 2(ગ) 16 મુજબ જો કોઈ પણ ધરણા કે પ્રદર્શનના કાર્યક્રમ કરનાર પણ આ કાયદા તહત ગુંડા ગણી શકાશે.

કલમ 2 (ઘ) મુજબ રાજ્ય સેવક ગુંડાને મદદ કરવા બાબતે દોસી ગણાઈ શકશે જ્યારે કલમ 23 અનુસાર રાજ્ય સરકાર અને તેમના કોઈ અધિકારી વિરુદ્ધ પગલાં લઈ શકશે નહીં એટ્લે કે સરકાર પોતાના રાજનેતિક વિરોધીઓ, માનવધિકાર કાર્યકર્તાઓ વગેરે ને ફસાવવા માટે આદેશ આપશે તો કોઈ ઈન્સ્પેકટર તેમના આ ખોટા આદેશને નહીં મને તો તેને આ કાયદા મુજબ જેલમાં નાઉખી શકાશે.

કલમ 3માં દંડની વાત કરવામાં આવી છે જેમાં ગુંડાને 3(1) મુજબ 7 થી 10 વર્ષની જેલ અને 50 હજાર અને 3(3) મુજબ 6 માસની કેદ અને 10 હજારનો દંડની એમ બે પ્રકાર ની જોગવાઈ છે

માઈનોરિટી કોરડીનેશન કમિટિ ગુજરાત દ્વારા લખાયેલા પત્રમાં ગુંડા કાયદો રાજનૈતિક વિરોધને સમાપ્ત કરવા, રાજ્યમાં માનવ અધિકારો – પ્રતિરોધની આવજોને કચડી નાખવાના ઉદ્દેશ્યથી લાવવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. પત્રમાં રાષ્ટ્રપતિને કાયદામાં સહી ન કરી પાસ ન થવા દેવા રજુઆત કરવામાં આવી છે. અગાઉ આ મુદ્દે રાજ્યપાલને પણ પત્ર લખવામાં આવ્યો હતો.

(9:22 pm IST)