News of Sunday, 25th September 2022
બનાસકાંઠાની ગૌશાળાની મુલાકાતે દિલ્હીના મુખ્યમંત્રી અને શિક્ષા મંત્રી મનીષ સિસોદિયા : ગાયોની હાલત ખૂબ જ દયનીય : ગૌશાળાઓ માટે આમ આદમી પાર્ટીની સરકાર જે કામ કરશે તેના વિશે માહિતી આપી
દિલ્હીના મુખ્યમંત્રી અને શિક્ષા મંત્રી મનીષ સિસોદિયાજીએ બનાસકાંઠાની એક ગૌશાળાની મુલાકાત લીધી હતી. મનીષ સિસોદિયાજીએ ગૌશાળાની મુલાકાત દરમિયાન જોયું કે ત્યાં ગાયોની હાલત ખૂબ જ દયનીય હતી અને તેમના માટે પૂરતી વ્યવસ્થા પણ નથી કરવામાં આવી. આ દરમિયાન મનીષ સિસોદિયાજીએ બનાસકાંઠા અને ગૌશાળાઓ માટે આમ આદમી પાર્ટીની સરકાર જે કામ કરશે તેના વિશે એક વીડિયોના માધ્યમથી માહિતી આપી હતી.
(8:47 pm IST)