ગુજરાત
News of Saturday, 25th September 2021

બાલાસિનોર તાલુકાના જાલુબારિયાના મુવાડા ખાતે અગાઉના ઝઘડાની અદાવત રાખી આધેડને મોતનેઘાટ ઉતારનાર આરોપીને પોલીસે રંગે હાથે ઝડપી પાડયો

બાલાસિનોર : બાલાસિનોર તાલુકાના જાલુબારીયાના મુવાડા ખાતે અગાઉની અદાવતમાં આધેડને મોતને ઘાટ ઉતારનાર આરોપી પોલીસના હાથે ઝડપાઇ ગયો છે. એકલતાનો લાભ લઇ વૃદ્ધને મારી હત્યાને અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ કર્યો હતો. 

બાલાસિનોર પોલીસ સ્ટેશનના પોલીસે ગુનાવાળી જગ્યા તથા આજુબાજુ રહેતા રહીશોની પુછપરછ કરતા આ કામના આરોપી રાકેશભાઇ સુખાભાઇ પરમારને ગામમા હીરાભાઇ સાથે અગાઉ ઝઘડો થયો હતો. જેને લઇ રાકેશભાઇની પુછપરછ માટે પોલીસ તેમના ઘરે પહોંચી હતી. જોકે, આ સમયે  આરોપીએ પોલીસ તપાસમાં કોઇ સહકાર આપ્યો નહતો. આખરે ઊંડાણપૂર્વકની તપાસમાં આરોપી ભાંગી પડયો હતો અને જણાવ્યું હતું કે તેને મૃતક હીરાભાઇ સાથે અગાઉ ઝઘડો થયો હતો. જેને અદાવત રાખી તેણે હીરાભાઇને મોતને ઘાટ ઉતારવાનુ નક્કી કર્યું હતું. મૃતક જાલુબારીયાના મુવાડા ગામે પીકઅપ સ્ટેન્ડ આગળથી એકલા જઇ રહ્યાં હતા ત્યારે રાકેશે એકલતાનો લાભ લઇ ઘરેથી લોખંડનો સળીયો લઇ આવીને હીરાભાઇના માથે ફટકાર્યો હતો. આ બનાવને રાકેશ પરમારે અકસ્માતમાં ખપાવવાનો નિષ્ફળ કર્યો હતો અને જણાવ્યું હતું કે એસટી બસે ટક્કર મારતા ગંભીર ઇજા પહોંચી હતી. જોકે, પોલીસને તેની આ વાત ગળે ન ઉતરતા  તપાસમાં હત્યા કરાઇ હોવાનું જણાઇ આવ્યું હતું.

(5:23 pm IST)