ઠાસરા તાલુકામાં પ્રેમલગ્ન કરનાર રાણીયાની પરિણીતા પર શારીરિક માનસિક ત્રાસ ગુજારનાર નરાધમ સાસરિયા વિરુદ્ધ ગુનો દાખલ
ઠાસરા: તાલુકાના મંગળપુરાની યુવતિ અને રાણીયાના યુવક વચ્ચે પ્રેમસબંધ બંધાઈ જતાં તેઓ બંનેએ ઘરેથી ભાગી જઈ રજિસ્ટર મેરેજ કરી લીધાં હતાં. જે બાદ સમાધાન થઈ જતાં રાણીયા ખાતે ઘરે આવ્યાં હતાં. સાસરીમાં પહોંચ્યાંને થોડા દિવસોમાં જ પરિણીતાને પતિ તેમજ સાસુ-સસરાંએ ત્રાસ આપી ઘરેથી કાઢી મૂકી હતી. આ બાબતે પરિણીતાએ ડાકોર પોલીસ મથકમાં પતિ તેમજ સાસુ-સસરાં વિરૂધ્ધ ફરિયાદ આપતાં પોલીસે ત્રણેય સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગે મળતી માહિતી મુજબ ઠાસરા તાલુકાના કોટ તાબે મંગળપુરા ગામમાં રહેતાં દિલિપસિંહ મોહનસિંહ ચાવડાની પુત્રી અલ્પાબેનને ઠાસરા તાલુકાના રાણીયા તાબે ચોવાડા ગામમાં રહેતાં જયદિપસિંહ રંગીતસિંહ પરમાર સાથે એક અગાઉ પ્રેમસબંધ બંધાયો હતો. જેથી તેઓ બંને ઘરેથી ભાગી જઈ ગત તા.૧૦-૪-૧૯ ના રોજ રજિસ્ટર મેરેજ કરી લીધાં હતાં. અને અલ્પા-જયદિપ પરિવારથી દૂર રહેવા લાગ્યાં હતાં. જે બાદ સમાધાન થઈ જતાં બંને જણાં ગત તા.૧-૭-૧૯ ના રોજ ચોવાડા ગામે આવ્યાં હતાં. જ્યાં અલ્પાબેન તેમના પતિ જયદિપસિંહ પરમાર, સસરા રંગીતસિંહ ભેમસિંહ પરમાર અને સાસુ કૈલાશબેન પરમાર સાથે રહેવા લાગ્યાં હતાં.