ગુજરાત
News of Tuesday, 25th September 2018

અમદાવાદમાં 20 કરોડના ખર્ચે નિર્મિત અદ્યતન એસીબી ભવનનું મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ

પોલીસ વિભાગના ઊંચ્ચ અધિકારીઓ અને ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા રહ્યાં ઉપસ્થિત

અમદાવાદના શાહીબાગ ડફનાળા ખાતે જ અન્ય એક એસીબીનું ભવન બનાવવામાં આવ્યું છે જેનું મુખ્યમંત્રી વિજયભાઈ  રૂપાણીના હસ્તે લોકાર્પણ કરાયું હતું આ સમયે પોલીસ વિભાગના ઊંચ્ચ અધિકારીઓ અને ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા.

આ બિલ્ડીંગ 20 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યું છે  તેમાં અધ્યતન સાધનો પણ આપવામાં આવ્યા છે અને આગામી સમયમાં સુવિધા સાથે ના આ ભાવનામાં અધિકારીઓ સારી રીતે કામગીરી કરી શકશે એવો વિશ્વાસ ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા દ્વારા વ્યક્ત કરવમાં આવ્યો હતો

(7:49 pm IST)