અમદાવાદમાં 44 કરોડના ખર્ચે બનેલ રિવરફ્રન્ટ હાઉસનું મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે ઉદઘાટન કરાયું
પાંચ માળ તથા ત્રણ ભોયરાનુ કુલ 16,594 ચોરસમીટર બાંધકામ :મોટાભાગના કોર્પોરેટર -ધારાસભ્યો ગેરહાજર
અમદાવાદ:મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે તેયાર થયેલા રિવરફ્રન્ટ હાઉસનું ઉદ્ઘાટન કર્યું હતું મહાપાલિકા દ્વારા વલ્લભસદનની પાછલના ભાગે 44 કરોડના ખર્ચે આ હાઉસ તૈયાર કરાયુ છે
આ કાર્યક્રમમાં મોટા ભાગના કોર્પોરેટર અને ધારાસભ્યો ગેરહાજર જોવાયા હતા રીવરફ્રન્ટ હાઉસમા ગ્રાઉન્ડ ફલોર -પાંચ માળ તથા ત્રણ ભોયરાનુ કુલ 16,594 ચોરસમીટર બાંધકામ કરાયું છે .
આ હાઉસમાં ગ્રાઉન્ડફોલોર ઉપર મ્યુઝિયમ-એક્ઝીબીશન માટે અનામત રાખવામા આવ્યા છે.બીજા માળે રીવરફ્રનટ ડેવલપમેન્ટ કોર્પોરેશનની ઓફીસ છે. પ્રથમ, ત્રીજા, ચોથા, પાંચમા માળે ઓફીસ-બીઝનેશ સેન્ટર ઉભા કરવામા આ્વ્યા છે. આ જગ્યા ભાડેથી આપવામા આવશે.
રીવરફ્રન્ટ હાઉસની પાસે એક વિશાળ દિવો મુકાયો છે 36 ફુટ ઉંચાઇ,16 ફુટ વ્યાસ અને ત્રણ ટન વજન ધરાવતા સ્ટીલમાંથી બનાવેલો આ દિવો સોલર લાઇટથી ઝળહળે છે.