નડિયાદની દાવડા નહેરમાંથી અજાણ્યા પુરુષની લાશ મળી આવતા તપાસ શરૂ
નડિયાદ:તાલુકાના દાવડા નહેરમાંથી આજે બપોરે એક અજાણ્યા પુરૂષની લાશ મળી આવેલ છે. ૫૦ થી ૫૫ વર્ષના આશરાના અજાણ્યા પુરુષનો મૃતદેહ નહેરમાં તણાઈ આવ્યો હોવાનું જોવા મળતા સ્થાનિક લોકોના ટોળે ટોળાં ઘટના સ્થળે જોવા દોડી ગયા હતા. આ બનાવની જાણ થતા વસો પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને આ અજાણ્યો પુરુષ કોણ છે ? આ પુરુષે આપઘાત કર્યો કે અકસ્માતે નહેરમાં પડી જતા ડૂબી ગયો તે અંગે તરેહ તરેહની અટકળો થઈ રહી છે આ બનાવ અંગે હજુ સુધી વસો પોલીસમાં કોઈ નોંધ કરવામાં આવી નથી.
સ્થળે જોવા દોડી ગયા હતા. આ બનાવની જાણ થતા વસો પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને આ અજાણ્યો પુરુષ કોણ છે ? આ પુરુષે આપઘાત કર્યો કે અકસ્માતે નહેરમાં પડી જતા ડૂબી ગયો તે અંગે તરેહ તરેહની અટકળો થઈ રહી છે આ બનાવ અંગે હજુ સુધી વસો પોલીસમાં કોઈ નોંધ કરવામાં આવી નથી.