News of Tuesday, 25th September 2018
માત્ર શરણાઇ અને ઢોલના તાલે વડોદરામાં રોયલ ફેમીલી દ્વારા લક્ષ્મીવિલાસ પેલેસ સામે ગણેશજીની મૂર્તિનીં વિસર્જન
વડોદરા: શહેરના શાહી પરિવારે દસ દિવસ સુધી ગણપતિની પૂજા-અર્ચના કર્યા બાદ રવિવારે તેમનું વિસર્જન કર્યું હતું. વડોદરાના રોયલ ફેમિલી દ્વારા લક્ષ્મીવિલાસ પેલેસની સામે જ બનાવવમાં આવેલા કુંડમાં ગણપતિને વિસર્જિત કરાયા હતા. બાપાને વિદાય પણ અસ્સલ રજવાડી અંદાજમાં અપાઈ હતી. વિસર્જન યાત્રામાં ન તો કોઈ ડીજે હતું, કે ન ફટાકડા ફોડાયા હતા. માત્ર શરણાઈ અને ઢોલના સંગીતમાં જ વિસર્જન યાત્રા કઢાઈ હતી. જુઓ ખાસ તસવીરો.
(5:03 pm IST)