ગુજરાત
News of Sunday, 25th August 2019

અમદાવાદમા ગણેશ વિસર્જન કૃત્રિમ કુંડમાં ફરજીયાત : મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મુર્તીઓ વિસર્જનને લઇ નિર્ણય

અમદાવાદઃ ગણેશ મહોત્સવ અમદાવાદીઓ ધામધુમક પૂર્વક ઉજવણી કરે છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગણેશ વિસર્જનને લઇ મહત્વનો નિર્ણય કરાયો છે.  હવે અમદાવાદીઓ ગણેશ વિસર્જન કૃત્રિમ કુંડમાં જ ફરજીયાત કરવું પડશે. દર વર્ષે મોટી મુર્તીઓ માટે મુકાતી ક્રેઇન સેવા હવે એએમસી નહીં આપે. અને ફરજિયાત પણે મુર્તીઓ કૃત્રિમ કુંડમાં જ પધરાવાની રહેશે.


ગણેશ મહોત્સવમાં ગણેશજીની પ્રતિમાનું વિસર્જન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તૈયાર કરવામાં આવેલ વિસર્જન કુંડમાં કરવા જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે. નદી કે તળાવમાં આ વખતે મૂર્તિનું વિસર્જન નહી કરવામાં આવે. મ્યુનિ.તંત્ર દ્વારા શહેરમાં કુલ 32 ગણેશ વિસર્જન કુંડ બનાવશે. જેમાં 8 મહાકાય કુંડો હશે. જે 65 ફૂટ લાંબા અને પહોળા તેમજ 8 ફૂટ ઉંડા રખાયા છે. જેમાં મૂર્તિના વિસર્જન માટે 15 ક્રેઇનની વ્યવસ્થા પણ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી છે. પરંતુ સાત બ્રિજ પર દર વર્ષે જે મોટી મુર્તીઓ માટે ક્રેઇન વ્યવસ્થા કરાઇ હતી.. તે હવે નહિ આપવામાં આવશે. અને ગણેશભક્તોની પોતાની મુર્તિ કુંડમાં પધરામણી કરવી પડશે.

ગણેશ મહોત્સવ આયોજકના ઉત્સાહ માટે એએમસી દ્વારા ઇનામ પણ આપવામાં આવશે.. પરંતુ તેમા પણ એક શરત મુકવામાં આવી છે.. કે આયોજક પોતાની મુર્તિ કૃત્રિમ કુંડમાં મુર્તિ પધરાવી ફોટો પાડશે.. તે જ એએમસીની સ્પર્ધામાં ભાગ લઇ શકશે. એએમસીના આ નિર્ણયનો આયોજક મંડળોએ આવકાર આપ્યો છે.. રાજગણપતિ પડલાના આયોજક આનંદ જોશીએ એએમસીના નિર્ણયનો આવકરતા કહે છે,, કે એએમસીએ નિયમ તો બનાવ્યો છે.. પણ વ્યવસ્થા કરવાની જવાબદારી પણ તંત્રની છે. તંત્રે યોગ્ય વ્યવસ્થા આપવી જોઇએ,, જો શક્ય બને તો,, દરકે વોર્ડ દિઠ એક કૃત્રિમ કુંડ બનાવા જોઇએ,, જેથી આસ્થા સાથે લોકો પોતાની મુર્તિ વિસર્જન કરી શકે છે. તો સાથે તંત્રએ પીઓપીની મુર્તિઓ પાણીમાં વિસર્જન કરતી રોકવી જોઇએ.

કુંડની યોગ્ય વ્યવસ્થા કરવાની માંગ આયોજક કરે છે. તો બીજી તરફ એએમસી અને પોલીસના સંયુક્ત ઉપક્રમે જ પડાલની મંજૂરી મળશે. પહેલા આયોજકોએ એએમસી એસ્ટેટ વિભાગ પાસે પરવાનગી લેવાની રહેશે. અને ત્યાર બાદ અન્ય તમામ પરવાનગી પોલીસ વિભાગ આપશે. જેમાં પોલીસ કમિશનરના જાહેરનામા અનુસાર જ મજુરી મળશે. ગણેશ વિસર્જન દરમિયાન 160થી પણ વધુ મ્યુનિ.કર્મીઓનો સ્ટાફ તેમાં ફરજ બજાવશે. કુંડોમાં પાણી ભરવા માટે પંપ મૂકાયા છે. જ્યાં તેની વ્યવસ્થા નહીં હોય ત્યાં પાણીના ટેન્કરોથી પાણી ભરાશે. ત્યારે જોવાનું રહે છે, નદી પ્રદુષિત અટકાવાનો આ નિર્ણય કેટલો કારગર નિવડે છે.

(10:13 pm IST)