ગુજરાત
News of Saturday, 25th June 2022

અમદાવાદ સહીત મહાનગરોમાં કવરાવતો વકર્યો :રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 380 નવા કેસ નોંધાયા:વધુ 209 દર્દીઓ સાજા થયા :આજે એકપણ દર્દીનું દર્દીનું મૃત્યુ થયું નથી:કુલ મૃત્યુઆંક 10,946: કુલ 12,16.245 લોકોએ કોરોનાને હરાવ્યો :આજે વધુ 59.584 લોકોનું રસીકરણ કરાયું

મોટાભાગના કેસ અમદાવાદમાં નોંધાયા:રાજયમાં હાલમાં 2098 કોરોનાનાં એક્ટીવ કેસ :શહેર અને જિલ્લાની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

અમદાવાદ :ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં આજે કોરોનાના નવા 380 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે વધુ 209 દર્દીઓ સ્વસ્થ થયા છે.અત્યાર સુધીમાં કુલ 12.16.245 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે.આજે રાજ્યમાં કોરોનાથી એકપણ દર્દીનું મૃત્યુ થયું નથી,રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10.946 પર સ્થિર રહ્યો છે. રાજ્યમાં રિકવરી રેટ 98.95 ટકા જેટલો છે.
રાજયમાં રસીકરણ અભિયાન વેગવાન રહેતા આજે રાજયમાં વધુ 59.584 લોકોનું રસીકરણ કરાયું છે. આ સાથે રાજયમાં અત્યાર સુધીમાં કુલ 11.11.63.270 લોકોનું રસીકરણ સંપન્ન થયું છે.રાજ્યમાં હાલ 2098 એક્ટિવ કોરોનાના કેસ છે અને જેમાં 3 દર્દી વેન્ટિલેટર પર છે,અને અને 2095 દર્દીઓ સ્ટેબલ છે .
રાજ્યમાં આજે કોરોનાના નોંધાયેલ નવા 380 કેસમાં અમદાવાદ કોર્પોરેશનમાં  155 કેસ, સુરત કોર્પોરેશનમાં 59 કેસ, વડોદરા કોર્પોરેશનમાં 34 કેસ,નવસારીમાં 16 કેસ, સુરતમાં 15 કેસ, વલસાડમાં 11 કેસ, ભાવનગર કોર્પોરેશનમાં 9 કેસ, બનાસકાંઠા,ભરૂચ,ગાંધીનગર કોર્પોરેશન,અને રાજકોટ કોર્પોરેશનમાં 7-7 કેસ, આણંદ ,સુરેન્દ્રનગર,અને વડોદરામાં 6-6 કેસ, જામનગર કોર્પોરેશનમાં 5 કેસ, અરવલ્લી, કચ્છ,અને મોરબીમાં 4-4 કેસ, અમરેલી,અને પોરબંદરમાં 3-3 કેસ, અમદાવાદ, ભાવનગર,અને ગાંધીનગરમાં 2-2 કેસ, દાહોદ, ગીર સોમનાથ ,જામનગર,ખેડા,મહેસાણા,અને તાપીમાં 1-1 કેસ નોંધાયો છે

(7:48 pm IST)