લોકડાઉન,કોરોના, મોંધવારી, બેરોજગારીના કારણે દંપતીના જીવન બગાડ્યા : વેજલપુરમાં 18 ફરિયાદ
એકલા વેજલપુર પોલીસ સ્ટેશનમાં માત્ર 24 દિવસમાં 18 ફરિયાદ નોંધાઇ :ઝઘડા અને મારામારીના કિસ્સા વધ્યા
અમદાવાદ : લોકડાઉન, કોરોના, મોંધવારી, બેરોજગારી આના કારણે પતિ-પત્ની વચેના ઝધડા વધ્યા. આના કારણે પોલીસ સ્ટેશનમાં મારામારીની ફરીયાદમાં ઉછાળો આવ્યો છે અમદાવાદના વેજલપુર પોલીસ સ્ટેશનમાં 1 જુનથી 24 જુન સુધીમાં 18 જેટલી ફરિયાદ પતિ-પત્નીના ઝધડાની નોંધાઇ છે. માત્ર વેજલપુર પોલીસ સ્ટેશનમાં માત્ર 24 દિવસમાં 18 ફરિયાદ નોંધાઇ છે તો સમગ્ર અમદાવાદમાં કેટલી ફરિયાદ નોંધાઇ હશે તે સમજી શકાય છે. અમદાવાદના 48 પોલીસ સ્ટેશનમાંથી માત્ર એક પોલીસ સ્ટેશનની વાત કરીએ તો 18 ફરિયાદ નોંધાઇ છે.
લોકડાઉન, મોંધવારી, બેરોજગારીના કારણે અત્યારે પુરૂષોના માથા ઉપર ઘરની જવાબદારી અને આવકની ચિંતા વધારે છે. તેના કારણે તેઓનું સ્વભાવ ચિડચીડો થઇ ગયો છે. બીજી તરફ પત્ની સાથે નાની-નાની વાતોમાં ઝધડા કે કંકાશ થવાના બનાવોમાં સતત વધારો થતો જઇ રહ્યો છે. જેનો સીધો ઉદાહરણ વેજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી 18 ફરિયાદ ઉપરથી તારણ મેળવી શકાય છે