અમદાવાદના શાહપુરમાં પથ્થરમારા બાદ દિલ્હી દરવાજા પાસે ફાયરિંગ: પોલીસની દોડધામ: CCTV ફુટેજની તપાસ
ફાયરિંગના મેસેજથી પોલીસ દોડી પરંતુ હજુ પુરાવા નહિ મળતા સીસીટીવી ફુટેજનું ચેકીંગ ચાલુ
અમદાવાદ: શાહપુરમાં બે જૂથ વચ્ચે પથ્થરમારની ઘટના બાદ પોલીસને દિલ્હી દરવાજા પાસે ફાયરિંગ થયાનો મેસેજ મળતા દોડધામ મચી હતી. જો કે, ફાયરિંગ થયાના કોઈ પુરાવા પોલીસને મળ્યા નથી. આ મામલે સીસીટીવી ફૂટેજ ચેક કરવાની કાર્યવાહી તેમજ ખાનગી બાતમીદારોને એક્ટિવ કર્યા છે.
શાહપૂરના ખાનપુર પાસે ભીલવાસ પાસે બે જૂથ વચ્ચે અથડામણ બાદ જોરદાર પથ્થરમારો થયો હતો. પોલીસ કાફલાએ સ્થળ પર પહોંચી મામલો થાળે પાડ્યો હતો. જો કે હજી પોલીસ રાહતનો શ્વાસ લે ત્યાં દિલ્હી દરવાજા પાસે ફાયરિંગ થયાનો મેસેજ મળ્યો હતો.
માધુપુરા પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પીઆઈ આર.જે.ચુડાસમાએ જણાવ્યું હતું કે, ફાયરિંગ નો મેસેજ મળ્યો છે પણ જગ્યા પર હજુ ફાયરિંગ થયાના પુરાવા મળ્યા નથી. આ મામલે સીસીટીવી ફૂટેજ ચેક કરી રહ્યા છીએ.