ગુજરાત
News of Tuesday, 25th June 2019

રાજ્યની ફાયર પોલિસીમાં ફેરફાર કરાશે ;વિધેયક લાવશે: તક્ષશિલા અગ્નિકાંડને લઈ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું મહત્વનું નિવેદન

 

સુરત તક્ષશિલા અગ્નિકાંડને લઈને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ મહત્વનું નિવેદન આપ્યું છે વિજયભાઈએ જણાવ્યું કે તક્ષશિલા કાંડ બાદ સમગ્ર રાજ્ય ની ફાયર પોલિસી માં ફેરફાર કરાશે આગામી વિધાનસભા સ્તરમાં અંગે વિધેયક લાવવામાં આવશે

તક્ષશિલા કાંડ માં જે કોઈ જવાબદારો છે તેમની સામે કડક પગલાં ભરવામાં આવી રહ્યા છે. તક્ષશિલા કાંડ ને આજની જ્ઞાનગંગા હિન્દી વિદ્યાલય ની ઘટનાનસાથે જોડી શકાય નહીં જો તક્ષશિલા માં એક્ઝિટ દાદર કે રસ્તો ખુલો હોત તો ઘણા લોકો બચી ગયા હોત પરંતુ બિલ્ડરે રસ્તો બંધ કરી દીધો હતો..

આરોગ્ય મંત્રી કુમાર કાણાની ની આગેવાની માં મૃતક ના વાલીઓ સાથે મિટિંગ યોજાશે તમામ વાલીઓ ની રજુઆત સાંભળવામાં આવશે..તમામ ની રજુઆત નું નિરાકરણ લાવવામાં આવશે

(12:45 am IST)