ગુજરાત
News of Tuesday, 25th June 2019

કલોલમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળી વૃધ્ધનો આપઘાતનો પ્રયાસ થતા પોલીસ ફરિયાદ

કલોલ: શહેરમાં રહેતા એક વૃદ્ધે વ્યાજખોરોના ત્રાસથી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. વૃદ્ધે ફરિયાદ નોંધાવી છે કે ૧૨ શખ્સો પાસેથી ઉછીના લીધેલા લાખો રૂપિયા ટુકડે ટુકડે વ્યાજ સહીત પરત આપ્યા હોવા છતાં ઊંચો વ્યાજદરથી વધોર પૈસાની માંગણી કરી અવાર નવાર પૈસા બાબતે વૃદ્ધ તથા તેના પરિવારને ધાક ધમકી આપતા હોવાથી વૃદ્ધે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. તાલુકા પોલીસે ઘટનામાં ૧૩ શખ્સો વિરૂદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.

કલોલમાં વધુ એક વખત વ્યાજખોરોના ત્રાસથી આત્મહત્યાના પ્રયાસનો કિસ્સો સામે આવતા ચકચાર મચી ગઇ છે. હાઇવે પર આવેલી કામેશ્વર પાર્ક સોસાયટીમાં રહેતા બાબુલાલ માંગીલાલ જાગીડનાઓ ભારત વિજય મીલમાં લેબર કોન્ટ્રાક્ટ ચલાવે છે

(5:14 pm IST)