ગુજરાત
News of Tuesday, 25th June 2019

કોંગ્રેસના રાજુ પરમારને બહાર જવા માટે આદેશ

અમદાવાદ, તા. ૨૪ : અમદાવાદ પૂર્વના અને કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર રાજુ પરમારને કોર્ટરૂમમાંથી આજે બહાર જવા માટે તાકીદ કરવામાં આવી હતી. કાયદાકીય જોગવાઇ મુજબ, જે વ્યકિત કેસમાં સાક્ષી હોય અને કોર્ટે તેમને બોલાવ્યા ન હોય તેમછતાં તે કોર્ટ રૂબરૂ હાજર રહે અને સુનાવણી સાંભળે તે યોગ્ય નહી હોવાના કારણે તેમને કોર્ટના નિયમોને આધીન રાજુ પરમારને કોર્ટ રૂમમાંથી બહાર જતા રહેવા તાકીદ કરાઇ હતી, જેને લઇ રાજુ પરમાર આ નિયમના પાલનરૂપે કોર્ટરૂમમાંથી સ્વેચ્છાએ બહાર નીકળી ગયા હતા.

(8:15 pm IST)