News of Monday, 25th June 2018
અમિતભાઇ અમદાવાદમાં;આખો દિવસ ઘરે જ મીટિંગોનો દોર
પૂર્વ મેયર ગૌતમ શાહ, માયા કોડનાની, બાબુ જમનાદાસ પટેલ સહિતનાએ બેઠક કરી :જગન્નાથ મંદિરના ટ્રસ્ટીએ રથયાત્રામાં ઉપસ્થિત રહેવા આમંત્રણ આપ્યું
અમદાવાદ ;ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહ ચિંતન શિબિરમાં હાજરી આપવા અમદાવાદ આવ્યા છે તેમના નિવાસ સ્થાને જ આખો દિવસ મિટિંગનો દોર ચાલુ રહ્યો હતો
ભાજપ અધ્યક્ષ અમિતભાઈ શાહે ચિંતન શિબિરના અંતિમ સેશનમાં હાજરી આપી. પરંતુ એ પહેલાં આખો દિવસ તેમના નિવાસસ્થાને નેતાઓની અવરજવર થતી રહી. જેમાં પૂર્વ મેયર ગૌતમ શાહ, માયા કોડનાની, બાબુ જમનાદાસ પટેલ મુલાકાત માટે પહોંચ્યા હતા અને તેમની સાથે બેઠક કરી હતી. તો જગન્નાથ મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝા પણ મુલાકાત કરીને અમિત શાહને રથયાત્રામાં ઉપસ્થિત રહેવા આમંત્રણ આપ્યું
(11:50 pm IST)