રાજપીપળાના રજપૂત ફળીયામાં આયુર્વેદ ઉકાળાનું વિતરણ :પહેલા દિવસે 50 લીટર ઉકાળો વિતરણ કર્યો
રજપૂત ફળિયાના જાગૃત યુવા કાર્યકર કુલદીપસિંહ ગોહિલ અને ફળીયાના યુવાનોએ કોરોના મહામારીમાં ઉકાળા વિતરણનું બીડું ઝડપ્યું
(ભરત શાહ દ્વારા) રાજપીપળા : હાલ સમગ્ર વિશ્વમાં કોરોના મહામારી ભયંકર રીતે ફેલાઈ રહી હોય આ બાબત ચિંતાજનક છે. આ માટે કોઈ દવા રસી હજુ ઉપલબ્ધ નથી તેવા સંજોગોમાં આયુર્વેદ ઉકાળો એક સારો વિકલ્પ હોય જેનાથી રોગપ્રતિકારક શક્તિ વધતા અન્ય વાયરસોથી બચાવ થઈ શકતો હોવાથી સમગ્ર ગુજરાત રાજ્યમાં આ ખાસ ઉકળાનું વિતરણ થઈ રહ્યું છે જેમાં નર્મદના વડા મથક રાજપીપળા ખાતે પણ હાલ આ વિતરણ શરૂ કરવામાં આવ્યું જેમાં રાજપીપળા રજપૂત ફળીયાના જાગૃત યુવા કાર્યકર કુલદીપસિંહ ગોહિલ સાથે ફળીયાના અન્ય યુવાનો દ્વારા સોમવારે વિના મૂલ્યે ઉકાળા વિતરણ કરાયું હતું.આ યુવાનો એ તેમના ફળીયામાં ઘરે ઘરે જઈ ઉકાળો વિતરણ કરી એક પણ ઘર કે વ્યક્તિ બાકી ના રહે તેની ખાસ કાળજી રાખી 50 લીટર ઉકાળા નું વિતરણ કર્યું હતું.