News of Monday, 25th May 2020
અમદાવાદમાં બાપુનગર, વસ્ત્રાલ વિસ્તારમાં સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે હીરાના કારખાના શરૂ
બે મહિના બાદ 30 ટકા સરાફા સાથે કારખાના ફરી ધમધમ્યાં
અમદાવાદ: લોકડોઉનમાં બે મહિના રોજગારીથી વંચિત રહેલા હીરાના કારીગરોને આજે રાહત મળી છે. અમદાવાદના બાપુનગર, વસ્ત્રાલ વિસ્તારમાં આવેલા હીરાના કારખાના આજે 2 મહિના બાદ શરૂ થયા હતા. 30 ટકા સ્ટાફ સાથે કારખાના શરૂ થયા છે. જ્યાં સોશિયલ ડિસ્ટન્સિંગ, સેનિતાઈસનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. હીરાના કારખાનામાં કામ કરતા કારીગરો લોકડોઉનના કારણે ખૂબ ચિંતામાં હતા. કારખાના શરૂ કરતાં તેમના ઘર ચલાવવા માટે મદદ મળી રહેશે. આજે કારીગરો સામેથી જ માસ્ક અને સેનિતાઇઝના નિયમો પાલન કરવા લાગ્યા છે.
(1:59 pm IST)