15 હજારની લાંચ લેવાના પ્રકરણમાં નવાપુરા પીઆઈના બે દિવસના રિમાન્ડ બાદ જેલમાં ધકેલાયા
વડોદરા:રૃા.૧૫ હજારની લાંચ લેતા ઝડપાયેલા નવાપુરા પીઆઇના રાઇટરના બે દિવસના રિમાન્ડ આજે પૂરા થતા તેને જેલમાં મોકલી અપાયો છે. એસીબી દ્વારા રાઇટરની સ્થાવર જંગમ મિલકતોની તપાસ ચાલી રહી છે.
આ અંગેની વિગત એવી છે કે, નવાપુરાના અતુલ પાટીલે આંકલાવ ખાતે કપડાનો વેપાર શરૃ કર્યો હતો. પરંતુ ધંધામાં ખોટ જતા તે આર્થિક ભીસમાં આવી ગયો હતો અને જીતેન્દ્રના પિતા પાસેથી ૧.૨૦ લાખ રૃપિયા ઉધાર લીધા હતા. તેની સામે ૩૩ હજાર રૃપિયા રોકડા તેને ચૂકવી દીધા હતા અને ૮૭ હજારના ચેક આપ્યા હતા.
હાલમાં વ્યાજખોરો વિરૃધ્ધ ચાલતા અભિયાનનો લાભ ઉઠાવીને અતુલ પાટીલે જીતેન્દ્રના પિતા વિરૃધ્ધ નવાપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી. નવાપુરાના પીઆઇ રાઇટર મુર્તુજાઅલી ઇસ્માઇલઅલી મનસુરી (રહે. સરદાર સહકારી ઉદ્યોગનગર આજવારોડ) એ જીતેન્દ્રના પિતાને પોલીસ સ્ટેશન બોલાવી ગુનો દાખલ કરવાની ધમકી આપી ૨૫ હજાર રૃપિયા પડાવ્યા હતા.