મોદી-શાહની આવતી કાલે અમદાવાદમાં જાહેર સભા
મોદી માતા હીરાબાના આર્શીવાદ લેવા જશે
અમદાવાદ, તા.૨પઃ લોકસભા ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ભાજપ-એનડીએ એ મેળવેલી ઐતિહાસિક જીત બાદ હવે મોદી પ્રધાનમંડળની રચના અને શપથવિધિ કાર્યક્રમની તૈયારીઓ થઇ રહી છે ત્યારે નરેન્દ્રભાઇ મોદી આવતીકાલે સાંજે તેમનાં માતા હીરાબાના આશીર્વાદ મેળવવા માટે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પણ આવશે અને ત્યારબાદ તેઓ જેપી ચોક ખાનપુર ખાતે જાહેરસભાને સંબોધન કરશે. વડાપ્રધાન મોદીએ ટિવટર દ્વારા જાણકારી આપી છે કે આવતીકાલે સાંજે હું મારી માતાના આશીર્વાદ લેવા ગુજરાત જઇશ અને ત્યારબાદ સોમવારે મારા ઉપર વિશ્વાસ મૂકનાર કાશીના લોકોનો આભાર માનવા જઇશ. કાલે એરપોર્ટથી સીધા માતા પાસે પહોંચશે. ત્યારબાદ ખાનપુર પહોંચશે.
મોદીની સાથે અમિત શાહ પણ આવતી કાલે ગુજરાત આવી રહ્યા છે. તેઓ સાંજે અમદાવાદ એરપોર્ટ પર આવશે ત્યારે તેમનું સ્વાગત કરવામાં આવશે. પ્રદેશ ભાજપ દ્વારા જોરશોરથી તૈયારી કરવામાં આવી છે. જેથી ચોક ખાનપુરમાં સભા યોજાશે.