News of Friday, 25th May 2018
2017ની બેચના ગુજરાત કેડરમાં ફાળવાયેલ સાત IAS પ્રોબેશનરી ઓફિસરો મુખ્યમંત્રીની મુલાકાતે
વંચિતો-ગરીબો, છેવાડાના માનવીના ઉત્થાનનું ધ્યેય હૈયે રાખવા અનુરોધ
ગાંધીનગર ર૦૧૭ની બેચમાં ગુજરાત કેડરમાં ફાળવાયેલા ૭ આઇ.એ.એસ. પ્રોબેશનરી ઓફિસરોએ ગાંધીનગરમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની શુભેચ્છા મૂલાકાત લીધી હતી.
વિજયભાઇ રૂપાણીએ આ તાલીમી સનદી અધિકારીઓ સાથે રાજ્ય વહીવટમાં સુશાસન-પારદર્શીતા અને સંવેદનશીલતા વિષયક બાબતોનો પરામર્શ કર્યો હતો અને માર્ગદર્શન આપ્યું હત
તેમણે આ તાલીમી સનદી અધિકારીઓને તેમના સેવાકાળ દરમ્યાન વંચિતો-ગરીબો, છેવાડાના માનવીના ઉત્થાનનું ધ્યેય હૈયે રાખવા અનુરોધ પણ આ વાતચીત દરમ્યાન કર્યો હતો.
(9:09 am IST)