ચિલોડા-સરખેજ હાઇવે પર સિક્સ લેન કરવાની કામગિરી હાથ ધરાતા રાહદારીઓને રાહત
ગાંધીનગર:ચિલોડાથી સરખેજ માર્ગને સંપૂર્ણ સિક્સ લેન કરવાના ભાગરૃપે છ જગ્યાએ ફ્લાયઓવર બનાવવામાં આવનાર છે. કરોડોના આ પ્રોજેકટની કામગીરી યુધ્ધના ધોરણે ચાલી રહી છે તેવી સ્થિતિમાં ગાંધીનગર ચિલોડાને જોડતાં સાબરમતી નદી ઉપરના પુલની પહોળાઈ વધારવામાં આવશે.
એટલે કે આ બ્રિજને સમાંતર નવો બ્રીજ ઉભો કરવાની પણ વિચારણા છે તો બીજી બાજુ અડાલજ પાસે આવેલી નર્મદા કેનાલ ઉપરના પુલને પણ પહોળો કરાશે. આ બન્ને બ્રીજ બનાવવા માટે રાજય સરકાર કેન્દ્ર સરકાર મંજુરી માંગશે. જો કે હાલ આચારસંહિતાના દિવસોમાં આ મંજુરી અંગે કોઇ નિર્ણય નહીં આવે.
ચિલોડા- ગાંધીનગર - સરખેજ માર્ગને સંપુર્ણ સીક્સલેન કરવાના પ્રોજેક્ટની કામગીરી હાલ ચાલી રહી છે. નેશનલ હાઇવે ઓથોરીટી દ્વારા અહીં આસપાસના વૃક્ષો કાપીને માર્ગ પહોળા કરવાની કામગીરી યુદ્ધના ધોરણે કરવામાં આવી રહી છે. ત્યારે આ રૃટ ઉપર ઘ-૦, સરગાસણ, ઉવારસદ, ખોડીયાર તેમજ વૈષ્ણવદેવી ચાર રસ્તા પાસે ઓવરબ્રીજ બનાવવામાં આવનાર છે.