News of Monday, 25th March 2019
અમદાવાદના પીરાણામાં લાકડાના તમામ ગોડાઉનો આગમાં બળીને ખાખ : સાંજે આગ પર કાબુ મેળવાયો
લાકડાના સાથે ટાયરના ગોડાઉનમાં પણ આગ લગતા અન્ય ગોડાઉનો ઝપેટમાં આવ્યા હતા
અમદાવાદના નારોલ વિસ્તારમાં બપોરના સુમારે ગણેશનગર પાસે એકાએક આગ લાગવાનો બનાવ બન્યો હતો. આગને પગલે આસપાસના તમામ લાકડાના ગોડાઉન ઝપેટમાં આવી જતા ખાખ થઇ ગયા હતા. જોકે બનાવના પગલે ફાયરબ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હાથ પર આગ પર સાંજ સુધીમાં કાબુ મેળવ્યો હતો.
પીરાણા નજીક આવેલા ગણેશનગરમાં બપોરના સુમારે લાકડાના ગોડાઉનમાં આગ લાગી હતી. આગ કયા કારણોસર લાગી હોવાનું હાલ નથી જાણી શકાય. પરંતુ માનવામાં આવી રહ્યું છે કે, લાકડાના ગોડાઉન નજીક આવેલા ટાયરના ગોડાઉનમાં આગ લાગતા આસપાસના અન્ય ગોડાઉન પણ આગની ઝપેટમાં આવી ગયા હતા.
(10:37 pm IST)