શ્રી વિશ્વકર્મા યુવક મંડળ દ્વારા વિશ્વકર્મા જયંતીની ભવ્ય ઉજવણી
સમસ્ત લુહાર-સુતાર જ્ઞાતિ વિરમગામ દ્વારા કાર્યક્રમ યોજવામાં આવ્યો
(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ :લુહાર સુતાર જ્ઞાતિ ની વાડી ખાતે મહા સુદ તેરસ ને બુધવાર તારીખ 25 ફેબ્રુઆરીના રોજ સમગ્ર વિશ્વના રચયિતા શ્રી ભગવાન વિશ્વકર્માની જન્મજયંતી નિમિત્તે શ્રી વિશ્વકર્મા ભગવાનની મહાપૂજાનો ઉત્સવ વિરમગામ સમસ્ત લુહાર-સુતાર જ્ઞાતિ શ્રી વિશ્વકર્મા યુવક મંડળ વિરમગામ દ્વારા યોજવામાં આવ્યો હતો. આચાર્ય શાસ્ત્રી જયેશભાઈ પાઠક દ્વારા વેદોક્ત શાસ્ત્રોક્ત મંત્રોથી કરવામાં આવી હતી.
વિશ્વકર્મા ભગવાનની મહાપુજાના યજમાન મયુરભાઈ ચંદુભાઈ સોલંકી પરિવાર,મહેશભાઈ રામજીભાઈ મકવાણા પરિવાર, વિષ્ણુભાઈ બુધાભાઈ પંચાલ પરિવારે લીધો હતો. મહાપુજા તેમજ મહાઆરતી ના સમાપન બાદ સ્વ.ગાંડાભાઈ ચતુરભાઇ પંચાલ પરિવાર દ્વારા સમગ્ર વિશ્વકર્મા પરિવાર માટે ભોજન પ્રસાદ નું આયોજન કરવામાં આવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષોથી પરંપરાગત રીતે શ્રી વિશ્વકર્મા જયંતી ના દીવસે શહેરમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે પરંતુ કોરોના મહામારી ને શોભાયાત્રાનું આયોજન મોકૂફ રાખવામાં આવેલ. કાર્યક્રમમાં માસ્ક અને સેનીટાઈઝર ની વ્યવસ્થા આયોજકો દ્વારા કરવામાં આવેલ હતી.