ગુજરાત
News of Thursday, 25th February 2021

સુરતના નિખીલને રાજકોટમાં ફેસબૂક ફ્રેન્ડ સાથે ઝઘડો થતાં ઉંદર મારવાની દવા પીધી

બંને એક વર્ષથી સાથે રહે છેઃ ત્રણ દિવસથી કામ માટે રાજકોટ આવ્યા બાદ ફ્રેન્ડને એકલી સુરત મોકલતાં ડખ્ખો

રાજકોટ તા. ૨૫: કામરેજ સુરતમાં રહેતાં અને એકાઉન્ટનું કામ કરતાં નિખીલ ભરતભાઇ ટાકોદરા (ઉ.વ.૨૫) નામના યુવાનને રાજકોટમાં મુળ જેતપુરની ફેસબૂક ફ્રેન્ડ સાથે ઝઘડો થતાં માઠુ લાગી જતાં ઉંદર મારવાની દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.નિખીલે કેકેવી હોલ નજીક શેરીમાં ઝેરી દવા પી લેતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. હોસ્પિટલ ચોકીના રાજુભાઇ ગીડા અને અનોપસિંહ ઝાલાએ તાલુકા પોલીસને જાણ કરતાં હેડકોન્સ. રમેશભાઇ ચોૈહાણ અને નિલેષભાઇએ હોસ્પિટલે પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી.

નિખીલના કહેવા મુજબ તે એક બહેનથી મોટો છે અને સુરત રહી એકાઉન્ટ લખવાનું કામ કરે છે. દોઢેક વર્ષથી તેને જેતપુરની એક યુવતિ સાથે ફેસબૂક મારફત ફ્રેન્ડશીપ થઇ હતી. એ પછી બંને સાથે રહેવા માંડ્યા હતાં. અગાઉ કેશોદ થોડો સમય રહ્યા હતા. હાલમાં સુરત સાથે રહે છે. બંને જમીનના કાગળના કામ માટે રાજકોટ મામાને ત્યાં આવ્યા હતાં. હજુ કામ માટે રોકાવું પડે તેમ હતું. પણ તેણીને સુરત જવું હોઇ તે બાબતે ચડભડ થઇ હતી. એ પછી તેણીને ગત સાંજે સુરતની બસમાં બેસાડી ત્યારે બંને વચ્ચે બોલાચાલી થતાં પોતાને માઠુ લાગી જતાં ઉંદર મારવાની દવા પી ગયો હતો. તેમ વધુમાં તેણે કહ્યું હતું.

(11:29 am IST)