વિરમગામમાં શ્રી સિધ્ધનાથ મહાદેવ મંદિરના 104 માં સમૈયા મહોત્સવની ભવ્ય ઉજવણી કરાઇ
દેશભરમાંથી 10 હજારથી વધુ લોકો શ્રી સિધ્ધનાથ મહાદેવ મંદિરના 104માં સમૈયા મહોત્સવમાં ઉપસ્થિત રહ્યા
(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા)વિરમગામ :અમદાવાદ જીલ્લાના વિરમગામ સ્થિત શ્રી સિઘ્ઘનાથ મહાદેવ મંદિર ખાતે ફાગણ સુદ બીજ તારીખ 25 ને મંગળવારે 104માં સમૈયા મહોત્સવની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. મંગળવારે સતવારા સમાજના યુવાનો દ્વારા વિરમગામના મુખ્ય માર્ગો પર બાઇક રેલી કાઢવામાં આવી હતી, જે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી.
સવારે સિધ્ધનાથ મહાદેવ મંદિરમાં વિશેષ પુજા કરવામાં આવી અને ધ્વજારોહણ કરવામાં આવ્યુ હતુ. સવારે શાસ્ત્રોક્ત વિધીથી સિધ્ધનાથ મહાદેવ મંદિરના પ્રાંગણમાં લઘુરૂદ્ર યજ્ઞનો શુભારંભ કરવામાં આવ્યો હતો અને સાંજે શ્રીફળ હોમીને યજ્ઞની પુર્ણાહુતિ કરવામાં આવી હતી. આ ઉપરાંત સમસ્ત ગુજરાતના સતવારા સમાજના શ્રેષ્ઠીઓનુ સન્માન કરવામાં આવ્યુ અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ રજુ કરવામાં આવ્યાં હતાં.
શ્રી સિઘ્ઘનાથ મહાદેવ મંદિર વિરમગામ ખાતે સમૈયા મહોત્સવમા દેશભરમાંથી 10 હજારથી વધુ સતવારા સમાજ લોકો ઉપસ્થિત રહ્યા હતા અને શ્રી સિઘ્ઘનાથ મહાદેવના દર્શન કરીને આશિર્વાદ પ્રાપ્ત કર્યા હતા.