લ્યો બલો હવે અમદાવાદમાં હનુમાન મંદિરે દર્શન કરવા માટે આઇકાર્ડ ફરજીયાત
અમદાવાદઃ અહીંના સાહિબાગ વિસ્તારમાં આવેલ હનુમાન મંદિરે દર્શન માટે સત્તાવાઅળઓને આડર્કાર્ડ ફરજીયાત બનાવ્યાનું બહાર આવેલ છે.
શહેરમાં શાહિબાગ સ્થિત આવેલા કેમ્પના હનુમાન મંદિરમાં હવે દર્શન કરવા માટે આઈકાર્ડ બતાવવું ફરજિયાત રહેશે. સુરક્ષા અંતર્ગત આર્મી તરફથી આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે કાલે શનિવારે હતો. દર શનિવારે હનુમાનજીના દર્શન કરવા માટે હજારો શ્રદ્ધાળુ ત્યાં આવી પહોંચે છે. ત્યારે કાલે ઘણા શ્રદ્ધાળુઓને આઇડી કાર્ડ વગર અંદર જવા દેવામાં આવ્યા નહતા. દર્શનાર્થે આવેલા શ્રદ્ધાળપઓને પરત મોકલવામાં આવતાં રોષની લાગણી સામે આવી છે.
મંદિર પરિષરની બહાર આઈકાર્ડ ફરજિયાતના પોસ્ટરો લગાવામાં આવ્યા છે. ત્યારે ભક્તોનું કહેવું છે આ નિર્ણય તઘલખી છે.