રૂઢ (ભીલવાડા) ગામે લગ્નમાંથી પરત જતા લોકો પર લોખંડના પંચ વડે હુમલો કરી ઇજા કરનાર 2 વિરુદ્ધ ફરિયાદ
(ભરત શાહ દ્વારા) રાજપીપળા :નાંદોદ તાલુકાના રૂઢ ભીલવાડા ગામમાં મિત્રના લગ્નમાંથી પરત ફરતા વ્યક્તિઓ પૈકી એક ઉપર બે વ્યક્તિઓએ હુમલો કરી ઇજા કરતા ફરિયાદ નોંધાઈ છે.
નાંદોદના અણીજરા ગામના ઉર્વીતભાઇ કાનજીભાઇ વસાવા ની ફરિયાદ મુજબ તે અને તેના અન્ય મિત્રો રૂઢ (ભીલવાડા) ગામે તેમના એક મિત્ર ના લગ્નમાં ગયેલા અને લગ્નમાં હાજરી આપી પરત લાછરસ ગામે જવા નિકળતા હતા તે વખતે ચિરાગભાઇ વસાવા અને રધુભાઇ વસાવા તેના બાપના નામની ખબર નથી બંને (રહે-વાવડી) ત્યાં આવી કહેવા લાગ્યા કે મને ભદામ ગામે કેમ મારેલ તેમ કહી ફરીને ગમે તેમ ગાળૉ આપી ચિરાગે જમીન ઉપર પડેલ પથ્થર ઉચકી ઉર્વીતને માથામાં મારી દિધેલ અને આરોપી રઘુબ એ બરડા માં લોખંડનો પંચ મારી દઇ ઇજા કરી હોય રાજપીપળા પોલીસે બંને વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.