રાજ્યમાં કોરોના થાક્યો : વધુ 707 દર્દીઓ સ્વસ્થ થયા: નવા 390 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 3 લોકોના મોત :મૃત્યુઆંક 4379 થયો : કુલ 2,50,763 લોકોએ કોરોનાને હરાવ્યો : આજે વધુ 13,803 લોકોને રસી અપાઈ : કુલ 92,122 લોકોનું રસીકરણ કરાયું
રાજ્યમાં આજે સૌથી વધુ અમદાવાદમાં 94 કેસ, સુરતમાં 85 કેસ,વડોદરામાં 84 કેસ, રાજકોટમાં 55 કેસ,પંચમહાલમાં 9 કેસ, ગાંધીનગર અને કચ્છમાં 8-8 કેસ,નર્મદામાં 7 કેસ, નોંધાયા:હાલમાં રાજ્યમાં 4345 એક્ટિવ કેસ: જિલ્લા અને શહેરોની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો
અમદાવાદ : રાજ્યમાં કોરોનાના નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો થઇ રહ્યો હતો ત્યારે આજે રાજ્યમાં 390 નવા કેસ નોંધાય છે જયારે આજે વધુ 707 દર્દીઓ રિકવર થયા છે રાજ્યના આરોગ્ય વિભાગની પરિણામલક્ષી કામગીરીને પગલે છેલ્લા ઘણા દિવસોથી નવા કેસની સંખ્યા 1000થી ઓછી થઇ રહી છે
રાજ્યમાં આજે કોરોનાના નવા 390 પોઝિટિવ કેસ નોંધાયા છે જયારે વધુ 707 દર્દીઓ સ્વસ્થ થયા છે અત્યાર સુધીમાં કુલ 2,50,763 દીઓએ કોરોનાને હરાવ્યો છે આજે રાજ્યમાં વધુ 3 લોકોના કોરોનાએ ભોગ લીધો છે આ સાથે રાજ્યમાં મૃત્યુઆંક વધીને 4379 થયો છે રાજ્યમાં રિકવરી રેટ 96,64 થયો છે
રાજ્યમાં ગત 16 જાન્યુઆરીથી કોરોના રસીકરણનો પ્રારંભ થયેલ છે, હાલમાં કુલ 213 કેન્દ્રો ઉપર 13,803 વ્યક્તિઓને કોરોના રસી આપવામાં આવી છે, અત્યાર સુધીમાં રાજ્યમાં 92,122 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે અત્યાર સુધીમાં રાજ્યમાં એકપણ વ્યક્તિને રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળી નથી
રાજ્યમાં હાલ 4345 એક્ટિવ કેસ છે. જેમાંથી 46 દર્દીઓ વેન્ટિલેટર પર છે જયારે 4299 દીઓ સ્ટેબલ છે,
રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં 2 અને સુરત કોર્પોરેશનમાં 1 મળીને કુલ 3 લોકોના કોરોનાથી મોત થયા છે
રાજ્યમાં આજે કોરોનાના નોંધાયેલ નવા 390 પોઝિટિવ કેસમાં રાજ્યમાં આજે સૌથી વધુ અમદાવાદમાં 94 કેસ, સુરતમાં 85 કેસ,વડોદરામાં 84 કેસ, રાજકોટમાં 55 કેસ,પંચમહાલમાં 9 કેસ, ગાંધીનગર અને કચ્છમાં 8-8 કેસ,નર્મદામાં 7 કેસ, નોંધાયા છે