સુરતના ડિંડોલીમાં ધો 10માં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ અગમ્ય કારણોસર ઘરમાં ફાસો ખાઈ જીવન ટુંકાવતા પરિવારને માથે આભ ફાટ્યું
સુરત: શહેરના ડિંડોલીમાં ધોરણમાં 10મા અભ્યાસ કરતા વિધાર્થીએ રવિવારે રાત્રે પોતાના ઘરમાં ગળે ફાસો ખાઈ આપઘાત કરી લેતા પારિવારમાં શોકની લાગણી ફરી વળી છે.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ડિંડોલી ખાતે આવેલ માં આંનદી ટાઉનશીપમાં રહેતો 16 વર્ષીય ભાનુપ્રતાપસીંગ ચૌહાણએ રવિવારે રાત્રે પોતાના ઘરમાં કોઈ કારણ સર ટેન્શનમાં આવી લોખંડની જાડી સાથે દુપટ્ટો બાંધી ફાસો ખાઈ જીવન ટૂજોકે તેનો ભાઈ તેને નીચે ઉતારીને સારવાર માટે હોસ્પિટલમાં લઇ ગયો હતો. પરંતુ ફરજ ઉપરના ડોકટરે તેને મૃત જાહેર કર્યો હતો.
પોલીસે જણાવ્યું હતું કે ભાનુપ્રતાપ હાલમાં દશમા ધોરણમાં અભ્યાસ કરતો હતો. તેને અન્ય એક ભાઈ અને એક બહેન છે. તેના પિતા હયાત નથી. જોકે તેના આપઘાત ક્યાં કારણસર કર્યો છે તે હાલમાં જાણી શકાયું નહીં, આગળની તપાસ ચાલી રહી છે.