સુરતના ઓલપાડામાંથી બે દિવસ પહેલા ભેદી સંજોગોમાં ગુમ થયેલ યુવકની લાશ ઝાડ પર ફાસો ખાધેલ હાલતમાં મળી આવતા ચકચાર
સુરત:બે દિવસ પહેલા ઓલપાડના સારોલી ગામમાં રહેતા યુવાન ગુમ થઈ ગયા હતા. રવિવારે સાંજે તે જહાંગીરપુરાના વરીયાવ રોડ પર ઝાડ સાથે દોરી બાંધી ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા હતા. જોકે નાણાકીય તકલીફ પડતી હોવાથી ટ્રાન્સપોર્ટનો ધંધો કરનાર યુવાન આ પગલું ભર્યું હતું.
નવી સિવિલથી મળેલી વિગત મુજબ ઓલપાડમાં સારોલી ગામમાં પ્રાથમિક શાળા પાસે હરિઓમ નગરમાં રહેતા 32 વર્ષીય કેતનકુમાર કનુભાઈ પટેલ વડતાલ 23મીએ સાંજે ઘરે ઇચ્છાપોર ખાતે ટ્રાન્સપોર્ટની ઓફિસે જવાનું કહીને નીકળ્યા હતા. બાદમાં તેણે તેમની માતા સાથે વાતચીત કરી હતી. જેમાં કેતનકુમાર રડતા હતા. તેણે તેના મિત્ર સાથે વીડિયો કોલિંગ પણ કર્યું હતું છતાં તે ક્યાં છે. તે ખબર પડી ન હતી એટલું જ નહીં તેને ત્યાં રહેતા વ્યક્તિઓએ જમવા માટે પણ કહ્યું હતું.
વધુમાં પોલીસે કહ્યું હતું કે તેની હાઇવા ટ્રકના કેટલાક હપ્તા ભરવાના બાકી હતા. આવા સંજોગોમાં તે નાણાકીય તકલીફ અનુભવતા હોવાથી આ પગલું ભર્યું હોવાની શક્યતા હશે પણ તપાસ દરમિયાન હકીકત જાણવા મળશે તેને એક સંતાન છે. તે ટ્રાન્સપોર્ટના ધંધા સાથે સંકળાયેલા હતા. આ અંગે જહાંગીરપુરા પોલીસે તપાસ હાથ ધરી છે.