ગુજરાત
News of Monday, 25th January 2021

ડો. તેજસ પટેલે કોવીશીલ્ડ (કોરોના) વેકસીન મુકાવી

રાજકોટઃ માત્ર સૌરાષ્ટ્ર-ગુજરાત જ નહિ, દેશ-વિદેશમાં અપાર લોકપ્રિયતા ધરાવતા જાણીતા હૃદયરોગ અંગેના સર્જન પદ્મશ્રી ડોે. તેજસભાઇ પટેલે તાજેતરમાં અમદાવાદ ખાતે કોવિડ-૧૯ની વેકસીન મુકાવી હતી.  તેમણે પ્રત્યેક નાગરીકને કોઇપણ ભય વિના આ વેકસીન મુકાવી લેવા અપીલ કરી છે અને કોરોનાને પરાજીત કરવા માટે ભય વિના આગળ આવવા હાકલ કરી છે. અમદાવાદની એસવીપી હોસ્પિટલ ખાતે તા.૨૧ના રોજ ડો. તેજસ પટેલે કોરોના સામેની ''કોવીશીલ્ડ રસી'' મુકાવી હતી. બીજો ડોઝ ૧૮ દિવસ પછી તેઓશ્રી લેશે.  કોવિદ રસી આપવાની તાલીમ લેનાર કોરોના વોરીયર્સ સલમાન મકરાણી તેેજસભાઇને કોવિશીલ્ડ વેકસીન આપતા નજરે પડે છે. તેજસભાઇને કોઇ સાઇડ ઇફેકટ થઇ નથી અને પૂર્વવત કાર્યરત છે. ઠેરઠેરથી અભિનંદન વર્ષા થઇ રહી છે. (મો.૯૮૨૪૮ ૨૧૧૪૬)

(12:00 pm IST)