ગુજરાત
News of Monday, 25th January 2021

ગુજરાતના ચારેય મેટ્રો શહેરોમાંથી રાત્રિ કર્ફ્યુ ઉઠાવી લેવા તૈયારી

૧લી ફેબ્રુઆરીથી રાજકોટ વડોદરા સુરત અને અમદાવાદ સહિત ગુજરાતના ચારેય મેટ્રો શહેરોમાં રાત્રિ કર્ફ્યુ ઉઠાવી લેવામાં આવે તેવી શક્યતા હોવાનું જાણવા મળે છે. સત્તાવાર જાહેરાતની રાહ જોવાઇ રહી છે. મળતા અહેવાલો મુજબ ગૃહવિભાગની આ અંગે બેઠક ચાલી રહી છેઃ ચૂંટણીઓ આવી રહી હોય રાત્રી કર્ફયુ સંપૂર્ણ હટાવી લેવાશે અથવા તો રાત્રે ૧૨ થી ૫ સુધી કરવામાં આવે તેવી સંભાવના છે

(1:48 pm IST)