News of Saturday, 25th January 2020
અકબરપુર ખાતે કાયમી ચોકી બનાવવા માંગણી
ગોધરાકાંડ બાદ ૧૫ વાર તોફાન
અમદાવાદ, તા. ૨૫ : ખંભાતનો અકબરપુર વિસ્તાર વર્ષોથી સંવેદનશીલ વિસ્તાર ગણાય છે. ગોધરાકાંડથી ૨૦૨૦ સુધીમાં અહીં ૧૫થી વધુ વખત કોમી છમકલાં થયાં છે. છેલ્લા ત્રણ વર્ષથી ઉત્તરાયણ બાદ છમકલું થાય છે. અહીં વારંવાર કોમી દંગલ થવાને કારણે આગચંપી-તોડફોડ વગેરેના બનાવો બનતા હોઈ અગાઉ એસઆરપી કેમ્પ મૂકાયો હતો. પરંતુ પરિસ્થિતિ થાળે પડ્યા બાદ તે હટાવી લેવામાં આવતો હોય છે.
આથી, આ સંવેદનશીલ વિસ્તારમાં કાયમી ધોરણે પોલીસ ચોકી બનાવવાની સ્થાનિક રહીશો ખાસ કરીને મહિલાઓ અને જાગૃત નાગરિકો દ્વારા ઉગ્ર માંગણી કરવામાં આવી છે.
(8:50 pm IST)