ગુજરાત
News of Tuesday, 24th November 2020

રાજપીપળા,કેવડીયામાં કોરોનાનો રાફડો ફાટ્યો:આજે રાજપીપળામાં 9 કેસ જ્યારે કેવડીયામાં 7 કેસ નોંધાયા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લામાં છેલ્લા ચાર દિવસ થી કોરોનાના કેસ સતત વધી રહ્યા છે જેમાં સોમવારે જીલ્લા માં કુલ 23 કોરોના પોજેટિવ દર્દી જોવા મળ્યા જેમાં જિલ્લાના વડા મથક રાજપીપળા શહેરમાં એક સાથે 9 કેસ જોવા મળ્યા જ્યારે ગરુડેશ્વરના કેવડીયા કોલોની ખાતે 7 કેસ જોવા મળ્યા હતા. આમતો આરોગ્ય વિભાગ સતત કામે લાગ્યું છે, દરરોજ કોરોના ટેસ્ટની સંખ્યા પણ વધારી હોવા છતાં કોરોનાનો ઊંચો જતો ગ્રાફ ક્યાં જઈ અટકશે એ કહેવું મુશ્કેલ છે.ત્યારે લોકો પણ ભીડભાડ વાળી જગ્યાઓ પર જવાનું ટાળતા નથી તેમજ માસ્ક, સોસીયલ  ડિસ્ટન્સનું પાલન ન કરતા હોવાના કારણે અન્ય મોટા શહેરો ની માફક આ નાનકડા નર્મદા જિલ્લામાં પણ કોરોના નો હાલ રાફડો ફાટ્યો હોય તેમ જોવા મળી રહ્યું છે.માટે સાવચેતી અને સલામતી બંને તરફ આપણે જ ધ્યાન આપવું પડશે.

(12:29 am IST)