ગુજરાત
News of Saturday, 24th October 2020

કુવરપુરા ગામના સરપંચને બદનામ કરવા સોસીયલ મીડિયામાં પોસ્ટ વાયરલ કરનાર પ્રફુલ વસાવા વિરૂદ્ધ ફરિયાદ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:નાંદોદ તાલુકાના કુવરપુરા ગામના સરપંચ નિરંજનભાઈ વસાવા આપેલી ફરિયાદ મુજબ વડીયાની જલારામ ટાઉનશીપમાં રહેતા પ્રફુલભાઈ વસાવાએ તેમને બદનામ કરવા તેમની વિરૂધ પોસ્ટ લખી સોશ્યલ મીડીયા પર વાયરલ કરી વ્યક્તિગત અને સામાજિક પ્રતિષ્ઠાને નુકશાન પહોચાડવાના હેતુ થી વોટસએપ ગ્રુપો માં વાયરલ કરી તેમજ પ્રફુલ વસાવના ફેસબુક એકાઉન્ટમાં જાહેર કાયદો અને વ્યવસ્થા ને નુકશાન થાય અને જાહેર શાંતીનો ભંગ થાય તેવા હેતુથી પોસ્ટ લખી ગુનો કરતા રાજપીપળા પોલીસે પ્રફુલ વસાવા વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.

(12:59 am IST)